એ સાદ કોઈ સાંભળે છે કે?

Feb 9, 2023

સોળ વર્ષ પહેલાં બાબુ રવીન્દ્રનાથ ઠાકુરે અવાજ ઉઠાવેલો કે રાજદ્વારી રમતો ને પ્રપંચો મૂકી દો. દેશનાયકો, ગામડાં સજીવન કરો, ઠેર ઠેર મેળા ભરો, ઉજાણીઓ કરો,રામાયણ-મહાભારતનો રસ પાવા માંડો. જન્મભૂમિ આજે નાની નાની નદીઓને કિનારે ઊભી ઊભી ગારાનાં ઝૂંપડામાં જૂથની અંદરથી ડોકિયાં કરતી કરતી નાસેલાં સંતાનોને બોલાવે છે. એ સાદ કોઈ સાંભળે છે કે?

~ ઝવેરચંદ મેઘાણી

Tags: ઝવેરચંદ મેઘાણી ગુજરાતી