I develop software with and for people.

પ્રાણની ગતિ ઓછી કરવા વિષે

Feb 10, 2025

પ્રાણવાયુનો આરોહ અને અવરોહ બાર આંગળ ચાલે છે, ૫રંતુ યોગાભ્યાસવડે તેમાંથી એક આંગળ ઓછો કરવાથી તે યેગાભ્યાસીને નિષ્કામતા પ્રાપ્ત થાય છે. બે આંગળ ઓછો કરવાથી આનંદપ્રાપ્તિ, ત્રણ આંગળ ઓછો કરવાથી કાવ્યસ્ફૂર્તિ, ચાર આંગળ ઓછો કરવાથી વાચાસિદ્ધિ, પાંચ આંગળ ઓછો કરવાથી દૂર દૃષ્ટિ, છ આંગળ ઓછો કરવાથી આકાશગમન-શક્તિ, સાત આંગળ ઓછો કરવાથી શીઘ્ર વેગપ્રાપ્તિ, આઠ આંગળ ઓછો કરવાથી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ, નવ આંગળ ઓછો કરવાથી નવે નિધિની પ્રાપ્તિ, દસ આંગળ ઓછો કરવાથી દસ અવસ્થાની પ્રાપ્તિ, અગીઆર આંગળ ઓછો કરવાથી છાયાનિવૃત્તિની પ્રાપ્તિ અને બાર આંગળ ઓછો કરવાંથી હંસગતિ અને કૈવલ્યપદની પ્રાપ્તિ થાય છે.

~ સચિત્ર ત્રિકાળ જ્ઞાન દર્શક

Tags: અધ્યાત્મ